Posts

શું આપણું પ્રાચીન જ્ઞાન ખરેખર "વૈકલ્પિક" છે?

  મેડિકલ માર્કેટિંગની માયાજાળ ?: આપણે પ્રાચીન જ્ઞાનને "વૈકલ્પિક" શા માટે કહીએ છીએ? અમે છેલ્લા એકાદ દાયકાથી મારી પત્નીને એક્યુપંક્ચરિસ્ટ પાસેથી મળેલી સારવાર અને તેનાથી થયેલા સ્વાસ્થ્ય લાભો વિશે ચર્ચા કરી રહ્યા હતા. મારા ભાઈએ આ પ્રાચીન પદ્ધતિઓ માટે એક શબ્દ વાપર્યો - "વૈકલ્પિક દવાઓ" (Alternative Medicines) . આ વાતચીતે મને વિચારવા મજબૂર કર્યો કે - આપણે યોગ, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર અને સમાન ઉપચાર પદ્ધતિઓને આધુનિક દવાઓના 'વિકલ્પ' તરીકે કેમ જોઈએ છીએ? જ્યારે વાસ્તવમાં તો આધુનિક દવાઓ પોતે જ એ પ્રાચીન જ્ઞાનનો એક વિકલ્પ અને ત્વરિત ઉપાય (quick fix) છે. અને અહીંથી જ આ બ્લોગની પ્રેરણા મળી. માનવ ઇતિહાસના લાંબા ગાળામાં, આપણે "દવા" ને જે રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તેમાં એક મોટું અને કદાચ વ્યવસ્થિત રીતે વિચારેલું પરિવર્તન આવ્યું છે. હજારો વર્ષો સુધી, મનુષ્યો સ્વાસ્થ્ય જાળવવા માટે કુદરતના કીમિયા - મૂળ, છાલ, ખનિજો અને જીવનશૈલીના સંસ્કારો પર નિર્ભર હતા. આજે, આ સમયની એરણ પર ખરી ઉતરેલી પરંપરાઓને "વૈકલ્પિક દવા" તરીકે હાસિયામાં ધકેલી દેવામાં આવી છે. બીજી બાજુ, આ...